કોઈનું દુઃખ જોઈને આંખો ભીની થઈ જવી એ,
માનસિક તંદુરસ્તી નું પ્રથમ લક્ષણ છે….
ક્યારેક આપણે જે જોઈએ છે,
તે બધું સાચું પણ નથી હોતું….
જીવનમાં કોઈક નો સાથ પણ જરૂરી છે,
કેમ કે એકલી રહેલી ચાવી પણ ક્યારેક ખોવાઈ જાય છે….
દિલોમા એ જ વસે જેનું મન સાફ હોય,
કેમ કે સોય માં એ જ દોરો પ્રવેશી શકે જેમાં ગાંઠ ન હોય…
પ્રસંગે નોતરું દેવા છતાં કોઈ આવતું નથી,
ને સળગતા ઘરને જોવા આખું ગામ આવે છે
એવું ના માનવું કે ઉંમર વધી એટલે ઓલ્ડ થઇ ગયા,
એવું સમજવું કે તપી તપીને ગોલ્ડ થઇ ગયા !!😊
શુભ સવાર
શણગાર તો શરીર ને હોય સાહેબ…
સુંદર તો પ્રભુની કૃપા હોય તો થવાય…
કોઇએ પુછયું બંસરી ને કે તું કેમ કૃષ્ણને વાલી છે..?
ત્યારે બંસરીએ કહયું કે હું અંદરથી ખાલી છું માટે કૃષ્ણને વાલી છું…
જીવન એટલે પ્રેમ અને શ્રમની સરીતાઓનું સંગમ.
જીવન એક ફૂલ છે, પ્રેમ એની સૌરભ છે.
જીવનને જો તમે ચાહતા હો તો સમય ગુમાવશો નહિ,
કારણ કે જીવન સમયનું જ બનેલું છે.
પોતાની આવડત ની સરખામણી ની ભૂલમાં,
તમે આવડત ને રગદોળો છો ધૂળમાં.
જે સ્નેહ, સલાહ, અને સહકાર ને રાખે છે મૂળમાં,
આવડત પરીવર્તે છે ભળી એનાજ ગુણમાં.
“વાણી” જ એકમાત્ર એવી વસ્તુ છે,
જેના થકી માણસ અંત સુધી ઓળખાય છે.
બાકી “ચેહરો” તો હર હાલાત અને સમય સાથે બદલાતો રહે છે.